Home CommunityKhimasiya dadaShri Khimsia Dada: શ્રી ખીમસિયા દાદા સેવક મંડળ દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવણી: સમગ્રપરિસરમાં ‘દાદા’ no જયઘોષ
Shri Khimsia Dada Sevak Mandal Celebrates Grand Patotsav with Devotees Gathering in Faith

Shri Khimsia Dada: શ્રી ખીમસિયા દાદા સેવક મંડળ દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવણી: સમગ્રપરિસરમાં ‘દાદા’ no જયઘોષ

by Akash Rajbhar

પરમ પૂજ્ય શ્રી ખીમસિયા દાદાના મુકામે મહા વદ બીજ, સંવત ૨૦૮૨ને મંગળવાર, ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ પાટોત્સવ પ્રસંગ અત્યંત ભક્તિભાવ અને ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો. આ મંગલમય અવસરે દાદાના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. કપોળ વણિક સમુદાયના મોદી, શેઠ, મહેતા, દેસાઈ સહિતના અનેક પરિવારો માટે કુલદેવતા સમાન શ્રી ખીમસિયા દાદાના દર્શને ભક્તો પોતાની મનૌકામનાઓ લઈને ઉમટી પડ્યા હતા.

શ્રદ્ધા અને સમર્પણનો ત્રિવેણી સંગમ

  • મુંબઈથી સંઘનું આગમન: પાટોત્સવના પાવન અવસરે મુંબઈથી ખાસ ૧૭૫ સભ્યોનો સંઘ સોમવારે સવારે જ હડિયાદ પહોંચ્યો હતો. ભક્તોએ દાદાના સાનિધ્યમાં રાત્રિ રોકાણ કરી ભજન-કીર્તનનો આનંદ માણ્યો હતો.
  • ભવ્ય હવન યજ્ઞ: મંગળવારે સવારે મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં સાત ભાગ્યશાળી જોડીઓએ યજ્ઞમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.
  • વિશાળ જનમેદની: મુખ્ય દિવસે અંદાજે ૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમૂહ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pal Mehta (@palmehta27)

સેવા અને સુવ્યવસ્થિત આયોજન

શ્રી ખીમસિયા દાદા સેવક મંડળ ના હોદ્દેદારોના નેતૃત્વમાં આ સમગ્ર મહોત્સવ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યો હતો. મંડળના પ્રમુખ શ્રી લલિતભાઈ મોદી, સેક્રેટરી શ્રી આકાશભાઈ મહેતા તથા શ્રી યોગેશભાઈ દેસાઈ, અને ઉપપ્રમુખ શ્રી મુકુલભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ મંડળના સભ્યોએ ભક્તોની સુવિધા અને ‘શ્રી ખીમસિયા દાદા અતિથિ ગૃહ’ ખાતેના રોકાણ માટે દિવસ-રાત જહેમત ઉઠાવી હતી.

એકતાનો સંદેશ

આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આવા ધાર્મિક ઉત્સવો માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સમાજની એકતા અને સંસ્કારોના જતનનું પણ માધ્યમ છે. પાટોત્સવના સમાપન સમયે ભક્તોની આંખમાં દાદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ચહેરા પર અનેરો સંતોષ જોવા મળ્યો હતો.

Leave a Comment