“રાધે–રાધેનો નાદ છે, હૈયે કૃષ્ણનો સાદ છે, ફૂલોની વર્ષા વચ્ચે, ભક્તિનો આ સ્વાદ છે! બાવાશ્રીના વિઝનથી, વ્રજ ઉતર્યું બોરીવલીમાં, હિલોળે ચઢ્યા ભક્તો, ગુંજી ઉઠી ગલી ગલીમાં!” ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ની એ સાંજ બોરીવલી માટે કોઈ ઉત્સવથી ઓછી નહોતી! શ્રીજી શરણની અસીમ કૃપા અને પ.પૂ. ગોસ્વામીશ્રી ૧૦૮ શ્રી વ્રજપ્રિયજી (છોટે બાવાશ્રી) ના દિવ્ય વિઝન હેઠળ યોજાયેલો “શ્રી હોળી રસિયા – ફૂલ ફાગ ઉત્સવ” ભક્તિ અને આનંદનો એવો સંગમ બન્યો કે જાણે સાક્ષાત્ વ્રજધામ ધરતી પર ઉતરી આવ્યું હોય. ૮૦૦૦થી વધુ ભક્તો – વૈષ્ણવો ‘રસિયા’ ના તાલે ઝૂમ્યા અને ફૂલોની વર્ષા થઈ, ત્યારે કોરા કેન્દ્રનું મેદાન ગોકુળ-મથુરાની ગલીઓમાં પરિવર્તિત થઈ ગયું હતું. આ દિવ્ય ક્ષણો અને ભક્તિરસના મહાસાગરની એક ઝલક મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
Tag: